કોલેજ ના કેટલાક યંગસ્ટર્સ કે જેમને ઓલ્વેઝ એવું લાગે છે કે એમને કોઇ સમજતું નથી..અને જેઓ ટેવાઇ ગયા છે એવા વાકયો થી કે "તુ કઇ કરતો નથી ને રખડી ખાય છે"કંઇક કરી બતાવવાની આગ ઠંડી પાડવા તેઓ ઠંડી માં આગ આપવાનું વિચારે છે..એટલે કે ધાબળા કે રજાઇ જે કાઇ મળે તે ઓઢાડવું ફૂટપાથ પર સુતેલા ગરીબો ને..આમાં કોઇ અપેક્ષા નથી કે બીજે દિવસે પેપરમાં "આદર્શ યુવાનો" ના ટાઇટલ સાથે ફોટો છપાય..બસ પોતાને અંદરથી સંતોષ થાય તેવું કાંઇક કરવું છે..એક ધ્યેય અને યુવાની જોશ જોત જોતામાં તો ધાબળાઓ નો ઢગલો કરી નાખે છે
ઠંડીની રાત છે ..ફૂટપાથ પર એક પરિવાર સુવાની કોશીશ કરી રહયો છે કારણકે ચાર જણાં ના પગ અને માથાને ઢંIકી શકે તેવી ચાદર મળી નથીએક કુતરું એમના વાસણો ચાટી રહયું છે અને બાજું માં ફાટેલી શાલ ઓઢીને ઘરનો વડીલ બીડી ફૂંકી રહયો છે..કદાચ ધાબળો આપવા માટે આનાથી આદર્શ કોઇ પરીવાર ના હોઇ શકે..યુવાનોની ગાડી આ પરીવાર પાસે આવી ને પોતાના હાથે ત્રણ ધાબળા ઓઢાડીને જાણે કંઇક કરી બતાવ્યાનો અદભૂત સંતોષ લે છે..અને નિકળી પડે છે આવાજ કોઇક બીજા પરીવાર ની શોધમાં..એ ગરીબ બાળકોને વિશ્વાસ થઇ જાય છે કે ભગવાન કોઇ દિવસ મરતા નથી..એ હોય છે..
યુવાનોના જતાંની સાથે જ ઘરનો એ વડીલ બીડી ઓલવી ને..બાળકોને ઓઢાડેલા એ ધાબળા પાછા ખેંચી લે છે..અને ફરી એમને થથરવા માટે છોડી દે છે..અને પેલા નવા ધાબળા વાળીને પાછા મુકી દે છે..બાળકોનો વિશ્વાસ તુટી જાય છે કે ભગવાન નથી હોતા ફકત અમારો બાપ હોય છે..આ નજરે જોયેલુ દશ્ય છે..ગરીબી એ ધંધો બની ગઇ છે..ગરીબ ને પાછળ બ્લુ ટુથ હોય છે...જો કે બાળક એ નિર્દોષ છે એ ગરીબ ઘરમાં જન્મ્યું એમાં એનો કોઇ વાંક નથી..સ્વેટર, જેકેટ,કેપ, રજાઇ અને બંધ રૂમ હોવા છતાં જો તમને ઠંડી લાગતી હોય તો એની શું દશા હશે એ વિચારવી પણ શકય નથી..માટે માનવતાની એક ફરજ તરીકે એને ઓઢાડવા જજો અને દાન કર્યાની લાગણી સંતોષાતી હોય તો એ રીતે પણ જજો..પણ તમારી વસ્તુ ત્યાં ટકશે અને એનો ઉપયોગ થશે એવી ખાતરી લઇ ને જ આવજો
જો ગરીબી ધંધો બની શકતી હોય તો દાન યોગ્ય માર્ગે જાય છે કે નહી એજાણવાની તમારી ઇશ્વરે આપેલી નોકરી છે..પરફેકટ અને પારદર્શક.
-પલક જાની..
ઠંડીની રાત છે ..ફૂટપાથ પર એક પરિવાર સુવાની કોશીશ કરી રહયો છે કારણકે ચાર જણાં ના પગ અને માથાને ઢંIકી શકે તેવી ચાદર મળી નથીએક કુતરું એમના વાસણો ચાટી રહયું છે અને બાજું માં ફાટેલી શાલ ઓઢીને ઘરનો વડીલ બીડી ફૂંકી રહયો છે..કદાચ ધાબળો આપવા માટે આનાથી આદર્શ કોઇ પરીવાર ના હોઇ શકે..યુવાનોની ગાડી આ પરીવાર પાસે આવી ને પોતાના હાથે ત્રણ ધાબળા ઓઢાડીને જાણે કંઇક કરી બતાવ્યાનો અદભૂત સંતોષ લે છે..અને નિકળી પડે છે આવાજ કોઇક બીજા પરીવાર ની શોધમાં..એ ગરીબ બાળકોને વિશ્વાસ થઇ જાય છે કે ભગવાન કોઇ દિવસ મરતા નથી..એ હોય છે..
યુવાનોના જતાંની સાથે જ ઘરનો એ વડીલ બીડી ઓલવી ને..બાળકોને ઓઢાડેલા એ ધાબળા પાછા ખેંચી લે છે..અને ફરી એમને થથરવા માટે છોડી દે છે..અને પેલા નવા ધાબળા વાળીને પાછા મુકી દે છે..બાળકોનો વિશ્વાસ તુટી જાય છે કે ભગવાન નથી હોતા ફકત અમારો બાપ હોય છે..આ નજરે જોયેલુ દશ્ય છે..ગરીબી એ ધંધો બની ગઇ છે..ગરીબ ને પાછળ બ્લુ ટુથ હોય છે...જો કે બાળક એ નિર્દોષ છે એ ગરીબ ઘરમાં જન્મ્યું એમાં એનો કોઇ વાંક નથી..સ્વેટર, જેકેટ,કેપ, રજાઇ અને બંધ રૂમ હોવા છતાં જો તમને ઠંડી લાગતી હોય તો એની શું દશા હશે એ વિચારવી પણ શકય નથી..માટે માનવતાની એક ફરજ તરીકે એને ઓઢાડવા જજો અને દાન કર્યાની લાગણી સંતોષાતી હોય તો એ રીતે પણ જજો..પણ તમારી વસ્તુ ત્યાં ટકશે અને એનો ઉપયોગ થશે એવી ખાતરી લઇ ને જ આવજો
જો ગરીબી ધંધો બની શકતી હોય તો દાન યોગ્ય માર્ગે જાય છે કે નહી એજાણવાની તમારી ઇશ્વરે આપેલી નોકરી છે..પરફેકટ અને પારદર્શક.
-પલક જાની..